દરેક સાહિત્ય પ્રેમી માટે આઘાત અને શોકનાં સમાચાર છે. તા. 14 ફેબ્રુઆરી 2008 ની રાતે . રાજકોટ ખાતે જનાબ ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી - ‘રૂસ્વા’ નું અવસાન થયું છે. ઈશ્વર તેમના આત્મા ને શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.
“કૈસે બતાયે આપકો ક્યા ક્યા નહી રહા?
હોતા નહી યકીન કિ ‘રૂસ્વા’ નહી રહા!”
- પરેશ કળસરિયા
Saturday, February 16, 2008
કોણ માનશે?, (ગઝલ) – ‘રૂસ્વા’ મઝલૂમી
ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી - ‘રૂસ્વા’ મઝલૂમી
જન્મ: 11 ડિસેમ્બર, 1915 : અવસાન : 14 ફેબ્રુઆરી, 2008
સ્વ. ‘રૂસ્વા’ મઝલૂમીને તેમની જ એક ગઝલ દ્વારા ‘શબ્દાંજલિ’:
મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?
‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?
- ‘રૂસ્વા’ મઝલૂમી
જન્મ: 11 ડિસેમ્બર, 1915 : અવસાન : 14 ફેબ્રુઆરી, 2008
સ્વ. ‘રૂસ્વા’ મઝલૂમીને તેમની જ એક ગઝલ દ્વારા ‘શબ્દાંજલિ’:
મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?
‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?
- ‘રૂસ્વા’ મઝલૂમી
Subscribe to:
Posts (Atom)